Saturday - May 18, 2024

વાંકાનેરમાં પારિવારિક મકાન પચાવી પાડવા ડખ્ખામા બે વ્યક્તિને લમધારી નાખ્યા

વાંકાનેરમાં પારિવારિક મકાન પચાવી પાડવા ડખ્ખામા બે વ્યક્તિને લમધારી નાખ્યા

વાંકાનેર નજીક ટોલનાકાના કર્મચારી ગિરિરાજસિંહ ઝાલા ઉપર ઘરેલુ ઝઘડામાં બે શખ્સો એવા યોગેન્દ્ર અને નરવીનનો હુમલો કર્યો હોવાનો આક્ષેપ સાથે ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અગાઉ આ બાબતે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આ જૂની અદાવતમાં બનાવ બન્યો હોવાનું કહેવાય છે.

વાંકાનેરના આરોગ્ય નગરમાં યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવકનું મકાન પચાવી પાડવા બાબતે બંને શખ્સોએ બે વર્ષ પહેલા પણ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈ કાલે ઉશ્કેરાઈ જઈને બંને શખ્સોએ ગિરિરાજસિંહ સાથે ઝગડો કરી ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતો ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.37) નામનો યુવક ગઈ કાલે પોતાનાં ઘર પાસે હતો. ત્યારે યોગેન્દ્ર અને નરવીને અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી ગિરિરાજસિંહની બાજુમાં જ રહે છે.
યોગેન્દ્ર અને નરવીનને ગિરિરાજસિંહનું મકાન પચાવી પાડવું છે. માટે વારંવાર માથાકૂટ કરતાં હતાં. યુવકને બે વર્ષ પહેલા પણ યોગેન્દ્ર અને નરવીન સાથે મકાન બાબતે ઝઘડો થયો હતો. ગઈ કાલે મકાન બાબતનો ખાર રાખી બંને શખ્સોએ યુવકને માર મારી નાસી ગયાનું પરીવારજનોએ જણાવ્યું હતો.હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક વાંકાનેર ટોલનાકામાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર નજીક ટોલનાકાના કર્મચારી ગિરિરાજસિંહ ઝાલા ઉપર ઘરેલુ ઝઘડામાં બે શખ્સો એવા યોગેન્દ્ર અને નરવીનનો હુમલો કર્યો હોવાનો આક્ષેપ સાથે ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અગાઉ આ બાબતે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આ જૂની અદાવતમાં બનાવ બન્યો હોવાનું કહેવાય છે.

વાંકાનેરના આરોગ્ય નગરમાં યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવકનું મકાન પચાવી પાડવા બાબતે બંને શખ્સોએ બે વર્ષ પહેલા પણ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈ કાલે ઉશ્કેરાઈ જઈને બંને શખ્સોએ ગિરિરાજસિંહ સાથે ઝગડો કરી ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતો ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.37) નામનો યુવક ગઈ કાલે પોતાનાં ઘર પાસે હતો. ત્યારે યોગેન્દ્ર અને નરવીને અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી ગિરિરાજસિંહની બાજુમાં જ રહે છે.
યોગેન્દ્ર અને નરવીનને ગિરિરાજસિંહનું મકાન પચાવી પાડવું છે. માટે વારંવાર માથાકૂટ કરતાં હતાં. યુવકને બે વર્ષ પહેલા પણ યોગેન્દ્ર અને નરવીન સાથે મકાન બાબતે ઝઘડો થયો હતો. ગઈ કાલે મકાન બાબતનો ખાર રાખી બંને શખ્સોએ યુવકને માર મારી નાસી ગયાનું પરીવારજનોએ જણાવ્યું હતો.હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક વાંકાનેર ટોલનાકામાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.