મહાશિવરાત્રી એટલે સમગ્ર બ્રહ્માંડના મોટા બાપુ ગણાતા ભોળીયાનાથની ભક્તિ કરવાનો સુર્વણ અવસર. મોરબીમાં મહા શિવરાત્રીના પાવન અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખાસ શિવરાત્રી નિમિતે મોરબીમાં આવેલ રવાપર ઘુંનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલની સામે મહાદેવ મહેરનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાંભવ્ય શોભાયાત્રા, ઘુન ભજન કીર્તન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આથી આયોજક શિવ ધુન મંડળ પરિવાર દ્વારા તમામ શિવ ભક્તોને શિવ ભક્તિમાં તરબોળ કરતા કાર્યક્રમોમાં જોડાવા અનુરોધ કરાયો છે.