મોરબી:- આજે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમામાં શહીદ સ્મારકમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશ દ્વારા પ્રસ્થાપિત અને તેમના ફાઉન્ડર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, તેમજ સરદાર પટેલની પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરી શહિદોને વંદન કરવામાં આવ્યા.