મોરબીમાં ચૈત્ર દૈનયા તપતા એટલે ધોમધખતા તાપ પડતા ઠેરઠેર ધરતીની મીઠાશ ગણાતા શેરડીના ચિચોડા ધમધમી ઉઠ્યા છે. જો કે સખત ગરમી અને આગ ઝરતી લુમાં આ શેરડીનો રસ એકદમ અમૃત ગણાતો હોય ઉનાળાના બળબળતા તાપમાં આરોગ્ય વર્ધક શેરડીના રસની ડિમાન્ડ ખૂબ જ વધી છે. એટલે શેરડીના ચિચોડે લોકોની ભીડ ઉમટી પડી છે અને શેરડીનો તાજો રસ પીને ગરમીમાં એકદમ તંદુરસ્તી મેળવી રહ્યા છે. સામાપક્ષે શ્રમિક લોકો શેરડીનો ચિચોડો ચલાવી આખો દિવસ શેરડીનું પિલાણ કરી લોકોને શેરડીનું અમૃતપાન કરાવી આ રીતે આખો દિવસ કઠોર મહેનત કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.