Saturday - Jul 04, 2026

માળીયા મી ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિરની પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

માળીયા મી ના નવલખી બંદરે આવેલ  રામદેવપીર મંદિરની પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

માળીયા મી: જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 15/12/2024 અને રવિવાર ના રોજ સદગુરૂ શ્રી રાયસીગ ભગત ની જગ્યા નવલખી બંદરે અને ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા રામદેવ પીર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજીન કરવામાં આવ્યું છે.

જેમાં સંતો મહંતો પધરામણી કરસે અને સવારે 8 કલાકે સામેયા,સવારે 9 કલાકે હવન, સવારે 11 વાગ્યે મુર્તી પ્રાણપ્રતિષ્ઠા યોજાશે, મહાપ્રસાદ બપોરે 12 કલાકે તેમજ ક્ષીફળ હોમવાનું બપોરે 3 કલાકે રાખેલ છે, મહા આરતી સાંજે 5 કલાકે રાખવામાં આવી છે, તેમજ સંતવાણી કાર્યક્રમ નો કાર્યક્રમ રાત્રે 10 કલાકે રાખેલ છે તો મોરબી ના સમગ્ર ભક્તો ને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.