હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા વાલજીભાઈ નરસીહભાઇ ઠાકોર ઉ. 77 નામના વૃદ્ધ સોમવારે વહેલી સવારે ક્રિષ્નાપાર્ક નજીક રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા તે વેળાએ માલગાડીની અડફેટે આવી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.