Friday - Feb 13, 2026

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજસ,દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજસ,દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

મોરબી: ગઈકાલે 5મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્યતેજ ગ્રુપ ઓફ કૉલેજસ, મોરબી ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના તમામ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજસ,દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ દરમિયાન કુલ 30 થી 35 વૃક્ષો નું વૃક્ષારોપણ કરાયું, જેમાં મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ એવા વૃક્ષોનો સમાવેશ કરાયો. આ કાર્યક્રમની સફળતા પાછળ તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વકની ભાગીદારી નોંધપાત્ર રહી.

આ પ્રસંગે પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, “આજનું વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢી માટે એક પ્રેરણાદાયક પહેલ છે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને પર્યાવરણ જળવાઈ રહે તે માટે આગળ આવવું જોઈએ.”

કાર્યક્રમ અંતે સંદેશ આપવામાં આવ્યો કે વૃક્ષો માત્ર દરરોજ ઓક્સિજન પૂરા પાડે છે એટલું જ નહીં, પરંતુ પૃથ્વીની ઉષ્મા ઘટાડવામાં, પાણીના સ્તર જાળવવામાં તથા જીવજંતુઓ માટે નેશનલ હેબિટેટ પૂરુ પાડવામાં પણ અગત્યનો ફાળો આપે છે. તેથી, પર્યાવરણ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે વૃક્ષારોપણ.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ બધાને અપીલ કરી હતી કે “પ્રકૃતિને ઋણ ચુકવવા આપણે એક વૃક્ષ જરૂર લગાવવું જોઈએ.”