મોરબી: મોરબી માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રામાનંદ ભવ, રામઘાટ મોરબી ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૬મી જન્મજયંતિની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગલા આરતી, ૧૧.૩૦ કલાકે મહાઆરતી તેમજ ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.
તો આ જન્મજયંતી ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા રામાનંદી સાધુ સમાજ મોરબી માળિયા મી.ની જ્ઞાતિની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.