Friday - Apr 17, 2026

વાંકાનેર નજીક પથ્થરની ખાણમાં માથે પથ્થર પડતા શ્રમિકનું મોત

વાંકાનેર નજીક પથ્થરની ખાણમાં માથે પથ્થર પડતા શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા ઉ.18 નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.