Saturday - May 16, 2026

મોરબીમાં રૂ.૧.૦૨ કરોડના ખર્ચે સરદારબાગના નવીનીકરણનું ખાતમુર્હત

મોરબીમાં રૂ.૧.૦૨ કરોડના ખર્ચે સરદારબાગના નવીનીકરણનું ખાતમુર્હત

મોરબી : મોરબી મનપા દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મનપનો દરરજો મળતા મ્યુનિ કમિશનર હરકતમાં આવ્યા છે અને ગંદકી બાબતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગના નવીનીકરણનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. આ તકે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિ કમિશનરે છ મહિનામાં સરદારબાગનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

મોરબીમાં રૂ.૧.૦૨ કરોડના ખર્ચે સરદારબાગના નવીનીકરણનું ખાતમુર્હત