Saturday - Aug 08, 2026

મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ

મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓનું  વેચાણ

સવારે 8થી 12 સુધી મળશે વિવિધ પ્રાકૃતિક ચીજવસ્તુઓ

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર, મોરબી દ્વારા તા. 9 ઓગસ્ટ, રવિવારે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી નેચરલ અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર માર્કેટિંગ યાર્ડની બહાર, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યૂ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી ખાતે રહેશે.

આ કેન્દ્ર ખાતે હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આમળાની મીઠી કેન્ડી તથા લેમન ટી સહિતની વિવિધ પ્રાકૃતિક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત રાહતદરે દસ જાતના ગુલાબ સહિત વિવિધ ફૂલછોડ, તેમજ રસોડામાં ઉપયોગી લાકડાના પાટલા, વેલણ, ઝેરણી સહિતની વસ્તુઓ પણ વેચાણ માટે રાખવામાં આવશે. સાથે જ ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ રહેશે.

હરડે પ્રચાર કેન્દ્ર, મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં નાગરિકોને આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ *“નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ”*ના સંદેશ સાથે નાગરિકોને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.