Wednesday - Jul 08, 2026

મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાસોત્સવનું આયોજન

મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાસોત્સવનું આયોજન

 લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી દ્વારા સંત જાગા સ્વામી જયંતિ નિમિત્તે ફક્ત મોચી સમાજ માટે પરશુરામધામ,નવલખી રોડ,મોરબી ખાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે 
તારીખ 19/10/2024 રાત્રે 8:00 કલાકે સંત જાગા સ્વામીની આરતી અને પછી દાંડીયારાસનો કાર્યક્રમ યોજાશે. જેમાં કોઈપણ જાતના ચાર્જ વગર ફક્ત મોચી જ્ઞાતિ માટે  પ્રવેશ વિનામૂલ્યે રાખેલ છે તેમ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ,પ્રમુખ લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબીની યાદીમાં જણાવેલ છે.