મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા ગૌતમભાઈ અમરસીભાઈ સોલંકી ઉ.55 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.