Sunday - May 10, 2026

હળવદના નવા ધનાળા ગામના પાટીયે બે ટ્રેઇલર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

હળવદના નવા ધનાળા ગામના પાટીયે બે ટ્રેઇલર  વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મોરબી : મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા વિશાલકુમાર ઈકમલભાઈ રાવત (27)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીડબલ્યુ 2992 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે અમૃત સીડ્સ ઇન્ડસ્ટ્રીઝની સામેના ભાગમાં ફરિયાદીનું લાકડા ભરેલું ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીએક્સ 7525 બંધ પડી ગયું હતું જેથી તેને પોતાના વાહનની પાછળના ભાગમાં જાળી જાખરા, પથ્થર અને સિગ્નલ ચાલુ રાખીને આડશ કરી હતી તો પણ આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર બેફિકરાઇથી ચલાવીને ફરિયાદીના બંધ પડેલા ટ્રેલરની પાછળના ભાગમાં અથડાવીને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આરોપીને શરીરને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.