મોરબી : પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજનું સ્નેહ મિલન તા.૨-૧૧-૨૦૨૪ શનીવારના રોજ નુતન વર્ષના દીવસે સવારે ૯ઃ૩૦ થી ૧૨ કલાક દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે. લોહાણા સમાજના દરેક લોકોને સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે..