સમગ્ર દેશમાં નોન યુઝ પ્લાસ્ટિક ઝુંબેશ ચાલી રહી છે. મોરબીમાં પણ તંત્ર દ્વારા નોન યુઝ પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આથી લોકો ખતરનાક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે જનજાગૃતિ આવે તેવા હેતુસર મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા નોન પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલયની સાયન્સ કોલેજની પ્રિન્સિપાલ આરતીબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ આજે સવારે સરદાર બાગ પાસેની શાક માર્કેટમાં પ્લાસ્ટિકની થેલી બંધ કરવા કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિક બેગ નો વાપરવા માટે લોકોને અપીલ કરી હતી.


