Monday - Feb 17, 2025

વાંકાનેરના રાજસ્થળી ગામેં બે વર્ષથી નર્મદાનું પાણી બંધ, પીવાના પાણીના સાસા

વાંકાનેરના રાજસ્થળી ગામેં બે વર્ષથી નર્મદાનું પાણી બંધ, પીવાના પાણીના સાસા

વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામને બે વર્ષ અને ચાર મહિનાથી નર્મદાના પાણીના દર્શન જ થયા નથી. આ ગામમાં પીવાના પાણી માટે એકમાત્ર નર્મદાનો જ સ્ત્રોત છે. ગામમાં  કોન્ટ્રાકટરની બેદરકારીના પાપે બે વર્ષ કરતા વધુ સમયથી પાણી આવતું જ નથી.જેમાં કોન્ટ્રાકટરે એક લાઈન નાખી પણ એનું કામ પૂરું કર્યું જ નથી. માત્ર અડધી લાઈન જ નાખી છે. એટલે અડધી બાકી છે. થાનમાંથી વાંકાનેરના હસનપરની લાઇનમાંથી આ ગામને પાણી મળતું પણ હવે એ લાઈન બંધ થતાં આ ગામને પાણી ન મળતું હોવાથી ગામલોકોને પાણી માટે કપરો સંઘર્ષ વેઠવો પડે છે.

વાંકાનેરના રાજસ્થળી ગામના સરપંચ જયસુખભાઈ રોજાસરાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું અને હાલ ગામમાં 1 હજારની વસ્તી હોય આ વસ્તીનો મુખ્ય ધંધો ખેતી હોવા છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ખેડૂતો ક્યારેય પણ બે પાંદડે થયા નથી. જ્યારે વરસાદ સારો થાય ત્યારે એક સિઝન પૂરતો જ પાક લઈ શકે છે. આરોગ્ય કેન્દ્ર ન હોય એટલે પાંચ કિમિ દૂર ગામલોકોને જવું પડે છે. 1થી 8 ધો. પ્રાથમિક શાળા, ગામની અંદરના 80 ટકા રોડ તૈયાર અને ભૂગર્ભ ગટર 90 ટકા તૈયાર હોય તેમજ કચરા નિકાલની ખુદ ગ્રામ પંચાયતે જ વ્યવસ્થા કરી છે. ગામને જોડતા સરધરકા, ખાનપર, મોરથડા, મેઈન આ ગામથી ખાનપર રોડ મુખ્ય હોવાથી આ ગામના રસ્તા કાચા હોય તેને પાકા કરવાની માંગ કરી છે.