Saturday - May 16, 2026

મોરબીના જોધપર ગામે પ્રૌઢે પગના તળિયાની બીમારી કંટાળી એસિડ ગટગટાવ્યુ

મોરબીના જોધપર ગામે પ્રૌઢે પગના તળિયાની બીમારી કંટાળી એસિડ ગટગટાવ્યુ

મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી ઉ.51 નામના આધેડને પગના તળિયાની બીમારી હોય જેથી કંટાળી જઈ પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.