Saturday - Aug 15, 2026

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકારોનના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકારોનના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકારોનના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500 થી વધુ કાર્યકરો-પ્રજાજનો ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર દીપાવલી પર્વ બાદ નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે.

તા. 16.11.2024 શનિવાર સાંજે 5.00 કલાકે, ઉમા ટાઉનશીપ મુકામે યોજાનારા આ સ્નેહમિલનમાં પ્રદેશ ભાજપાના વરિષ્ઠ આગેવાનઓ, માનનીય સંસદ સદસ્યઓ,ધારાસભ્યજીલ્લા અને મંડલ સંગઠનના હોદ્દેદારો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલન સમારોહમાં પરસ્પર શુભકામનાઓ પાઠવવા તમામ ચાર મંડલોના સંગઠનના વર્તમાન-પૂર્વ હોદ્દેદારો. વિવિધ મોરચા-સેલના હોદ્દેદાર સદસ્યઓ ચૂંટાયેલા તમામ વર્તમાન-પૂર્વ પ્રતિનિધિઓ, વર્તમાન-પૂર્વ સરપંચઓ બુથ પ્રમુખ,  પેજ પ્રમુખ અને પેજ સમિતિઓના તમામ સદસ્યઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે. સાથે સાથે વિવિધ તમામ જ્ઞાતિ-સમુદાયના હોદ્દેદારો જ્ઞાતિજનો, ઉપરાંત વિવિધ તમામ ઉદ્યોગ એસોસિએશનના  ઉદ્યોગકારો તમામ વેપારી અને વ્યવસાયિક એસોસિએશનના હોદ્દેદારlઓ અને સભ્યો તેમજ સમસ્ત પ્રજાજન-મતદાર ભાઈ બહેનોને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા ધારાસભય તથા ચાર મંડલના હોદ્દેદારોનું હાર્દિક નિમંત્રણ છે. સ્નેહમિલન સમારોહ સંપન્ન થયે સ્વરૂચિ ભોજનનું આયોજન છે.