મોરબી: મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા તા. ૨૬/૧૦/૨૫, લાભ પાંચમ ના પવિત્ર દિવસે જ્ઞાતિ ઈષ્ટદેવ શ્રી રુગનાથજી મહારાજની પધરામણી અને જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ અતિ ભવ્યતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
મોરબીના જ્ઞાતિજનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશાળ સંખ્યામાં હાજર રહીને ઉત્સાહભેર અને તન, મન, ધનથી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં દેશાવરથી પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ પોતાની અમૂલ્ય હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
જેમાં મુખ્યત્વે:
રાજકોટ જ્ઞાતિ-ટ્રસ્ટ (પ્રમુખ શ્રી હરીશભાઈ જંગબારી અને ટ્રસ્ટીગણ)
આજી ઉપલા કાંઠા પ્રગતિ મંડળ (પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોહેલ અને ટ્રસ્ટીગણ)
મવડી વિકાસ મંડળ (પ્રમુખ શ્રી દિનેશભાઈ ટંકારીયા અને ટ્રસ્ટીગણ)
કોઠારીયા વિકાસ મંડળ (પ્રમુખ શ્રી સંજયભાઈ ધામેચા અને ટ્રસ્ટીગણ)
જામનગર મ.ક.સ.સુ. યંગ ગૃપ (શ્રી ભગવાનજીભાઈ જાખરીયા, પરસોતમભાઈ પીઠડીયા વગેરે હોદ્દેદારશ્રીઓ)
ધ્રોલ જ્ઞાતિ-ટ્રસ્ટ (ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ પીઠડીયા)
સરપદડ જ્ઞાતિ પ્રમુખ શ્રી ધીરુભાઈ સાંચલા
તથા અન્ય નામી-અનામી આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા આ તમામ મહેમાનો તેમજ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં સહયોગ આપનાર ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો, યુવા કાર્યકર મિત્રો અને મોરબીના તમામ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.