Sunday - May 03, 2026

મોરબી સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ રાજ્ય સરકાર સાથે કર્યા રૂ. 200 કરોડના MOU

મોરબી સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ રાજ્ય સરકાર સાથે કર્યા રૂ. 200 કરોડના MOU

રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં મોરબીના બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપનું મોટું રોકાણ: કુલ રૂ. 1460 કરોડના કરારો સંપન્ન

રાજકોટ/મોરબી: રાજકોટ ખાતે યોજાયેલી 'રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ'માં મોરબીના સિરામિક ઉદ્યોગે પોતાની મજબૂત પકડ દર્શાવી છે. આ ઉચ્ચસ્તરીય સેમિનારમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ અને બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપના ચેરમેન મનોજભાઈ એરવાડિયાએ રાજ્ય સરકાર સાથે રૂ. 200 કરોડના રોકાણ માટેના MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા.

ઉદ્યોગમાં નવી ઊંચાઈઓ સર કરવાની તૈયારી
મનોજભાઈ એરવાડિયા દ્વારા કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ કરાર મોરબીના સિરામિક ક્ષેત્રના વિકાસમાં નવું બળ પૂરું પાડશે. આ સેમિનારમાં કુલ રૂ. 1460 કરોડના MOU થયા હતા, જેમાં મોરબીના ઉદ્યોગપતિઓએ નોંધપાત્ર ઉત્સાહ બતાવ્યો હતો.
 

મોરબી સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ રાજ્ય સરકાર સાથે કર્યા રૂ. 200 કરોડના MOU

વૈશ્વિક સ્પર્ધા માટે ગુણવત્તા પર ભાર
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે ખાસ હાજર રહીને જણાવ્યું હતું કે, મોરબીના 800 થી વધુ સિરામિક પ્લાન્ટ્સ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા વિચારી રહી છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક બજારની સ્પર્ધામાં ટકવા માટે સિરામિક ઉદ્યોગપતિઓએ 'ક્વોલિટી અને ઇનોવેશન'ને પ્રાથમિકતા આપવી પડશે. "વિકસિત ભારત" માટે "વિકસિત મોરબી" અનિવાર્ય છે તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ સચિવ મમતા વર્મા તેમજ સિરામિક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનોજભાઈ એરવાડિયાના નેતૃત્વ હેઠળ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી સમયમાં ટેકનોલોજી અને ગુણવત્તાના નવા ધોરણો સ્થાપવા માટે કટિબદ્ધ બન્યો છે.