મોરબીના આજવીટો સિરામિકના લેબર કવાર્ટસમાં રહેતા ઈશ્વરલાલ રણછોડભાઈ નીનામા (ઉ.૪૪) ગત તા. ૨૧ ના રોજ કારખાનાની બહાર આવેલ ચા ની કીટલી એ ચા પીવા માટે પગે ચાલીને જતા હોય દરમિયાન અચાનક ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.