જેમાં મોટી સંખ્યામાં દરજી જ્ઞાતિના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
મોરબી: મચ્છુ કઠિયા સઇ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ - મોરબી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોરબી દરજી જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે તદ્દન વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
લખધીરવાસ ચૉક, આર્યસમાજ મંદિર સામે આવેલી દરજી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં જ્ઞાતિના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને આ યોજનાનો લાભ લીધો હતો.
શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમયસર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત ઉત્સાહભેર કરી શકે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઈ રાઠોડ, ઉપપ્રમુખ નિયોગભાઈ રાઠોડ, મંત્રી અજયભાઈ ચૌહાણ તેમજ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્ઞાતિના અગ્રણીઓએ તમામ લાભાર્થી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.