શોભાયાત્રામાં નાના બાળકોએ પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના વેશ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિવસભર વડીલો અને રહીશો દ્વારા રામધૂનનું ગાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું વિવિધ એપાર્ટમેન્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ગજાનન પાર્ક સોસાયટીમાં રામમય માહોલ છવાયો રહ્યો અને ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.