Saturday - Jul 04, 2026

મોરબીના ત્રાજપરમાં યુવકનો ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના ત્રાજપરમાં યુવકનો ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા સુરજભાઈ રાજુભાઇ મેસરિયા ઉ.25 નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.