Saturday - May 16, 2026

ભવ્ય ઉજવણી: અયોધ્યા રામ મંદિર શિખર પર ધર્મ ધ્વજા - મોરબીમાં આતશબાજી અને પ્રસાદ વિતરણ થયું.

ભવ્ય ઉજવણી: અયોધ્યા રામ મંદિર શિખર પર ધર્મ ધ્વજા - મોરબીમાં આતશબાજી અને પ્રસાદ વિતરણ થયું.

મોરબી (તારીખ: ૨૬/૧૧/૨૦૨૫):
​અયોધ્યા ખાતે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામ મંદિરના શિખર પર તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવતાં, રામ મંદિરના ૫૦૦ વર્ષ જૂના સંઘર્ષ પછી ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થવાની અને ધર્મ ધ્વજા સ્થાપનાના આ ઐતિહાસિક અને પવિત્ર અવસરની ઉજવણી કરવામાં આવી હતી.

​આ ઉજવણીના ભાગ રૂપે, મોરબીમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવ્ય ઉજવણી: અયોધ્યા રામ મંદિર શિખર પર ધર્મ ધ્વજા - મોરબીમાં આતશબાજી અને પ્રસાદ વિતરણ થયું.

જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની કાર્યકરો જોડાયા હતા, જેમાં નગરદરવાજા ચોક ખાતે ગઈકાલે ​તારીખ ૨૬/૧૧/૨૦૨૫, બુધવાર ના રોજ સાંજે ૭ વાગ્યા થી ૮ વાગ્યા સુધી ફટાકડા ફોડીને આતશબાજી અને મીઠા મોઢા કરાવી આ ભવ્ય અવસરની ઉજવણી કરવામાં આવી હતી.

​આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં મોરબીના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.