મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા ઉ.55 નામના પરિણીતાને તેમના પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.