Sunday - May 24, 2026

મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત

મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત

સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના કામનું ખાતમુહૂર્ત થતા 1.5 વર્ષથી અટકેલું કામ અંતે શરૂ થશે

મોરબી : મોરબી મહાનગરપાલિકાના હદવિસ્તારમાં આવતા મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 3 માં આવતા આ વિસ્તારના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર જિગ્નેશભાઈ કૈલા, ભુપતભાઈ જારિયા, અર્પિતાબા જાડેજા, રમાબેન બોપલિયા અને પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ ઉપસ્થિત રહ્યા હતા.

મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત

આ કામ અગાઉ જિલ્લા પંચાયત વખતે મંજૂર થઈ ગયું હતું અને પાઈપ પણ આવી ગયા હતા. પરંતુ કોર્પોરેશન આવતા ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતના જૂના કામો રદ થયા હતા, જેના કારણે આ કામ 1.5 વર્ષ જેટલું મોડું થયું હતું. હવે કોર્પોરેશન દ્વારા આ કામ ફરીથી શરૂ કરાવવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના આદેશ મુજબ આ કામનું ટેન્ડર TAPAN INFRASTRUCTURE.CO ને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિકોનો પાણીના નિકાલનો જૂનો પ્રશ્ન હલ થશે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાની જે સમસ્યા થતી હતી તેનો હવે કાયમી અંત આવશે.

મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત
મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત
મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં હવે વર્ષોના વરસાદી પાણી નિકલના પ્રશ્નનો આવશે અંત