Saturday - May 02, 2026

દાદા ભગવાન મહોત્સવમાં મુકબધીરો માટે પણ સાઈન લેન્ગવેજથી સત્સંગ યોજાશે

દાદા ભગવાન મહોત્સવમાં મુકબધીરો માટે પણ સાઈન લેન્ગવેજથી સત્સંગ યોજાશે

મોરબી : મોરબીમાં તારીખ 3 નવેમ્બરથી દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે. ત્યારે મોરબી શહેર તેમજ આજુબાજુના ગામના બ્હેરા-મુંગા ભાઈઓ તથા બહેનો માટે પણ સાઈન લેન્ગવેજ ટ્રાન્સલેશન મારફતે જ્ઞાન વિધિ અને સત્સંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્કમાં પણ મુલાકાત કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો આપની આસપાસ રહેતા સર્વે બ્હેરા-મુંગા વ્યક્તિઓને જાણ કરી આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે ભરતભાઈ (મો.નં. 9427529160)નો સંપર્ક કરવા જણાવાયું છે.