મોરબી:- મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પાસે આવેલ આરટીઓ કચેરી પાસે રોંગ સાઈડમાં આવી રહેલા બાઇક ચાલક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા ઉંમર વર્ષ 57 નામના આધેડ વ્યક્તિનું બાઇક નં GJ-03–DE–1952 બ્રેઝા કાર નં GJ-18-BH-0008 અથડાતા વાલજીભાઈનું મોત થયું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની ગીતાબેન ચાવડાને ઇજાઓ પહોંચી હતી અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.