Monday - Jul 06, 2026

મનરેગા કોભાંડમા સંડોવાયેલા મંત્રીના રાજીનામાંની માંગ કરતા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા

મનરેગા કોભાંડમા સંડોવાયેલા મંત્રીના રાજીનામાંની માંગ કરતા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા

મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા મનરેગા કોભાંડમા સંડોવાયેલા મંત્રીના રાજીનામાંની માંગ કરવામાં આવી છે.

મનરેગા કોભાંડમા સંડોવાયેલા મંત્રીના પુત્રોના કારણે અનેક ગરીબ લોકોના પરસેવાની કમાણી સ્વરૂપે ચૂકવેલ ટેક્સના પૈસાનું પાણી થય ગયું હોય માટે ભાજપ સરકારમા બેઠેલા મંત્રી બચ્ચુંભાઈ ખાબડનું ત્વરીત ધોરણે રાજીનામું માંગવું જોઈએ તેમજ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. જેથી કરી આવનારા સમયમા કોઈ આવા ભ્રષ્ટાચારી આવું કૃત્ય કરવાની હિમંત ના કરે તેવું તેમણે જણાવ્યું છે.