ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદી નાકાંઠે રમણીય જગ્યા પર આવેલા શ્રી ઝારવાળા હનુમાનજીના મંદિરે હનુમાનજ જયંતિ નિમિતે તારીખ 23/04/2024 ને મંગળવારે સવારે મારુતિ યજ્ઞ તથા બપોરે11:30 કલાકે મહાપ્રસાદનું મહંત મહાકાલપુરી બાપુ તેમજ તેમના ભક્તોજનો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
હનુમાનજી દાદાના ભક્તજનોમાં હનુમાન જયંતિને લઈને ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ઝારવાળા હનુમાનજીના દર્શન કરવા એક મોટો લહાવો છે. કહેવાય છે કે આ મંદિરની જગ્યાની આસપાસ આશરે 300 વર્ષ પહેલાં એક નાનું એવું ગામ હતું.ગામની રક્ષા કાજે એ સમયે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.સમય જતાં હાલ આ હનુમાનજી મહારાજ આજ સુધી જંગલમાં બાવળની જાળીઓ વચ્ચે ગામના સ્થળ પર હાજરા હજુર છે. બાવળની જાળીઓમાં મંદિર હોવાથી સમય જતા ઝાળીવાળા હનુમાનજી અને હાલ ઝારવળા હનુમાનજી કહેવાય છે.
ઝારવાળા હનુમાનજી મહારાજની મૂર્તિ એક તેજવંત મૂર્તિ છે.દાદાના સાનિધ્યમાં આ મંદિરે જે ભક્તજન સાચી શ્રધ્ધાથી જે દુઃખ દર્દની અરજ કરવા આવે તેની સઘળી મુશ્કેલી ઝારવાળા હનુમાનજી દૂર કરે છે.
અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા l
અસ બર દીન જાનકી માતા ll
કોઈ કામમાં સિદ્ધિ મેળવવા માંગો છો અથવા શ્રેષ્ઠ થવા માંગો છો તો હનુમાનજીની આ ચોપાઈનો જાપ કરવો જોઇએ.