મોરબીમાં હિન્દૂ યુવાનો હનુમાન ચાલીસાનું પઠન કરીને હિન્દૂ સંસ્કૃતિનું ગૌરવ ઉજાળે એ માટે મોરબીના યુવા હિન્દૂ સંગઠન દ્વારા આવકારદાય પહેલ કરવામાં આવી છે. હનુમાન ચાલીસા જીવનનું પરમ સત્ય સમાયેલું હોવાથી યુવાનોમાં હનુમાન ચાલીસાનું પઠન થાય તે જરૂરી હોવાથી યુવા હિન્દૂ સંગઠન દ્વારા આ શનિવારથી હનુમાન ચાલીસા પાઠ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શરૂઆતમાં 50 જેટલા યુવાનો જોડાયા હતા અને આ યુવાનો દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. જો કે હિન્દૂ યુવા સંગઠન દ્વારા આ શનિવારથી જ દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે અને હનુમાન ચાલીસાના શ્લોક, મંત્રોચ્ચાર સાથે હિન્દૂ સંસ્કૃતિનું જતન કરવામાં આવશે. આ શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારથી હનુમાન ચાલીસા પથનની શરૂઆત થઈ છે અને દર મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસા પઠન કરવામાં આવશે. જેમાં વધુને વધુ યુવાનોને જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.