Friday - Jul 24, 2026

હડમતિયાધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે

હડમતિયાધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે

હડમતિયાધામ - નકલંકધામ ઠાકર મંદિર, હડમતિયાધામ (પાલણપીર) ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી: આગામી તા. 29-7-2026, બુધવારના રોજ સવારે 9:00 કલાકે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે.

આ સમારોહમાં સમાજના પાંચ મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં તુલસીભાઈ સવજીભાઈ નાવિષાણી અને સ્વ. ટપુભાઈ પ્રેમજીભાઈ વારેકડીયાને જીવાણ સ્વામી એવોર્ડ, જયારે જાદવજીભાઈ જીવણભાઈ વારસડીયા, અમરશીભાઈ મુળજીભાઈ ઘરોડીયા અને કાંતિભાઈ જેઠાભાઈ મેજડીયાને પ્રેમદાસબાપુ એવોર્ડથી સન્માનિત કરાશે.

કાર્યક્રમ બાદ સવારે 11:00 કલાકે જ્ઞાતિભોજનનું આયોજન રાખેલ છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુરુ મેહુલદાસબાપુ કેસવદાસબાપુ ચાપબાઈ, નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતિ અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

હડમતિયાધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને મહાનુભાવોનો એવોર્ડ સમારોહ યોજાશે

ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે નકલંકધામ, હડમતીયા (પાલણપીર) ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. 28-07-2026, મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકે પ્રખ્યાત ભજનીક રસીક મહારાજ કાપડી અને અશોકભાઈ પ્રજાપતી ભક્તિમય સંતવાણી પ્રસ્તુત કરશે.