મોરબી: ગઈ કાલે 77 માં પર્વની મોરબીના સામા કાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ધ્વજવંદન કાર્યક્રમની સાથે ખેલ મહાકુંભ , કલા મહાકુંભ કે અન્ય વિશેષ સિદ્ધિઓ મેળવેલ બાળકોને વાલીઓની હાજરીમાં શાળા તરફથી સન્માન પત્રક આપવામાં આવેલ હતું.
શાળાના તમામ શિક્ષકો તેમજ વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ આ પ્રજાસત્તાક પર્વ અંતર્ગત શાળાના મુખ્ય સંચાલક કીશોરભાઈ શુક્લએ પંચ પરિવર્તનની વાત કરી હતી અને અંતે સહ સંચાલક પ્રમોદ સિંહ રાણાએ કાર્યક્રમમાં હાજર રહેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.