Thursday - Apr 16, 2026

મોરબી જલારામધામમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા સમાજના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી

મોરબી જલારામધામમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા સમાજના પ્રમુખ  ગીરીશભાઈ ઘેલાણી

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના જન્મદીનની ઉજવણી  સદાવ્રત મા મહાપ્રસાદ યોજી  કરી હતી.આ તકે ગીરીશભાઈ ઘેલાણી, જ્યોત્સનાબેન ઘેલાણી, અંબરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, કૌશલભાઈ ઘેલાણી  સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

મોરબી જલારામધામમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા સમાજના પ્રમુખ  ગીરીશભાઈ ઘેલાણી

પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ઘેલાણી પરિવારે પરિવાર ના મોભી ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.