મોરબીની આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા પાંચ ગામોમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અઢીસોથી વધુ દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો.
મોરબીના લક્ષ્મીનગરની બાજુમાં આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ પાંચ ગામો ભરતનગર, લક્ષ્મીનગર, નવા અને જૂના સાદુંળકા તેમજ રવાપર નદી ગામની અંદર ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યતેજ જનરલ હોસ્પિટલના તબીબીઓ વિનામૂલ્યે તબીબી સેવા પ્રદાન કરી હતી અને અઢીસોથી વધુ દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો.