રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબીમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાએ તપાસ કરતા પોતાની બેદરકારી સામે આવી હતી. જેમાં આખી સિસ્ટમ અઠેગઠે ચાલતી હોય તેમ મોરબીમાં રેઢારાજ અને રેઢિયાળ વહીવટને કારણે મોરબીના મોટાભાગના લોકો ઉપર સલામતી રામભરોસે હોવાથી નાજુક સ્થિતિ સામે આવી છે.
સીરામીક નગરી મોરબી જીવતો બૉમ્બ હોવાનું ફલિત થયો છે. કારણ કે રાજકોટની દુર્ઘટના બાદ તંત્રને રેલો આવતા તંત્રની તપાસમાં તેની જ જીવલેણ બેદરકારી સામે આવી છે. જો કે આ તપાસ ન થઈ હોત મોટી ઘાત સર્જાવાની સ્થિતિ છે.રાજકોટ અંગનીકાંડ બાદ ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે. અત્યાર સુધીમાં બે ગેમ ઝોન, ત્રણ ટોકીઝ, વી માર્ટ બંધ કરાવેલ, બે હોસ્પિટલ ને સીલ કરેલ અને બે હોસ્પિટલને બંધ કરાવેલ છે. રવાપર રોડ પર આવેલ તમામ કોમ્પલેક્ષ ને ફાયર એનઓસી અંગે નોટિસ આપેલ છે. 128 જેટલી બિલ્ડિંગ માં ઇન્સ્પેકશન કરેલ જેમાંથી 40 જેટલી બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી હતી બાકીની તમામને નોટિસ ફટકારી છે.