Sunday - May 10, 2026

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતીએ મહા શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતીએ મહા શોભાયાત્રાનું આયોજન

 ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
 

આ શોભાયાત્રા મોરબી શહેરના રેલવે સ્ટેશનથી સવારે 9-30 કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલા ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂને ફૂલહાર કરી બપોરના 2-30 કલાકે આ રેલીની પુર્ણાહુતિ કરવામાં આવશે.
મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબાસાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણને હાથીની અંબાડી ઉપર દેશી ઢોલના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.