મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ ભીમરાવનગરમાં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ ઉ.વ.58 નામના મહિલાને આચકી આવવાની બીમારી હોય જેમાં ગત તા.5ના રોજ સાંજના સમયે આચકી આવ્યા બાદ પડી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.