મોરબી : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આવેલ રેતીમાં પ્લાન્ટમાંથી રેતી ભર્યા બાદ ટ્રક ઉપર ચડી રેતીને લેવલ કરી રહેલા રાજકોટ રહેતા અમિતભાઇ રણજીતભાઈ રૂદાતલા ઉ.વ.29 નામના યુવક ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.