Thursday - Jul 02, 2026

મોરબીમાં પીવાના પાણીની શુદ્ધતા માટે ક્લોરીન સ્ક્રબર પ્રોજેકટને બહાલી અપાઈ

મોરબીમાં પીવાના પાણીની શુદ્ધતા માટે ક્લોરીન સ્ક્રબર પ્રોજેકટને બહાલી અપાઈ
મોરબીમાં પીવાના પાણીની શુદ્ધતા માટે ક્લોરીન સ્ક્રબર પ્રોજેકટને બહાલી અપાઈ

આ સિસ્ટમનું સ્થાપન મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં થશે, જેમાં દરેક સ્થળે પાણીની ક્ષમતા અનુસાર મશીનો ગોઠવવામાં આવશે. જેમાં દાણાપીઠ (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), ગૌશાળા (ESA ક્ષમતા ૩-૨૦ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૧૨૫ લાખ લિટર), પંચાસર (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), રણછોડનગર (ESA ક્ષમતા ૧-૧૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૩૫ લાખ લિટર) રાવાપર (WTP સપ્લાય), દરબારગઢ (૧-૫ લાખ લિટર - બંને), સાનાળા (૨-૧૨.૫ લાખ લિટર - ESA અને ૧-૩૫ લાખ લિટર - GSR), સદરબાગ (૨-૫ લાખ અને ૧-૮ લાખ લિટર (બંધ)-ESA તથા ૧-૫ લાખ અને ૧-૧૫ લાખ લિટર (બંધ)- GSR), સુરજબાગ (૧-૫ લાખ લિટર), વાવડી રોડ (NC ૭ પાઈપલાઈન સપ્લાય), કેસરબાગ (૧-૫ લાખ અને ૧-૩ લાખ લિટર- ESA, તથા ૧-૩.૫.૭ લાખ લિટર - GSR), પિકનિક સેન્ટર (૧-૧૧ લાખ લિટર -ESA તેમજ ૧-૩૫ લાખ લિટર GSR), ઉમા ટાઉનશીપ / નઝરબાગ (૧-૫ અને ૧૧ લાખ લિટર - ESA તથા ૧-૫ અને ૧૫ લાખ લિટર - GSR), અને શોભેશ્વર (૧-૫ લાખ લિટર) ખાતે સિસ્ટમ નાખવામાં આવશે.

આ ક્લોરીન ડોઝિંગ સિસ્ટમમાં મશીનો અને ઓટોમેશન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ કામગીરીના સફળ અમલ બાદ મોરબી શહેરનું પીવાનું પાણી ડબ્લ્યુએચઓ (WHO) ના ધોરણો મુજબ સંપૂર્ણપણે જીવાણુમુક્ત અને પીવા માટે સુરક્ષિત બની જશે.