મોરબી : મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ હર્ષદભાઈ વામજા દ્વારા પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પ્રેરણાદાયી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. તેમણે બાળકોને પૌષ્ટિક ફ્રૂટ તેમજ ફરાળી નાસ્તાનું વિતરણ કર્યું હતું. ધાર્મિક પર્વોની સાચી ઉજવણી સેવાના માધ્યમથી જરૂરિયાતમંદો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવીને થઈ શકે તેવા ભાવ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.