મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક આવેલ ગુરુકુલ પાસે વાડી વિસ્તારમાં રહેતા ખેત શ્રમિક પરિવારના પિન્કીભાઈ રવિભાઈ દુડવે ઉ.વ.7ને ગઈકાલે સવારે અચાનક ઉલટી થયા બાદ શ્વાસ રૂંધાઇ જતા સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.