Monday - Apr 27, 2026

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો.

મોરબી:- આજરોજ મોરબીની એલ.ઈ.કોલેજ મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર મહેશ પંડ્યા સાથે એનએસએસ કોઓડીનેટર ડોક્ટર રજનીકાંત રાઠોડ અને તેમના ટીમના બહેન ડોક્ટર જે બી ભેડા અને કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો.

આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર મોરબી તરફથી શૈલેષભાઈ ભટ્ટ,અનિલભાઈ વિઠલાપરા,પાર્થભાઈ ગડારા,અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.  
  જેમને વિદ્યાર્થીઓને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સોગંધ લેવડાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે તેઓ વ્યસન નહીં કરે પરંતુ જે વ્યસન કરતા હશે તેને પણ વ્યસન મુક્ત કરશે.