મોરબીનાં એક પરિવારે પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે ગયા : અજય લોરીયાને જાણ થતાં ઘરે જઈ હોસ્પિટલનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો
મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા આર્થિક પરિસ્થિતિના કારણે હોસ્પિટલ માંથી રજા લઈ ઘરે જતા રહ્યા હતા. ત્યારે સેવા એજ સંપતિ ફાઉન્ડેશનનાં પ્રમુખ અજય લોરીયાને ને જાણ થતા ઘરે જઈને એમના પરિવારને 51,000 નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડવાની વાત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.