Saturday - May 09, 2026

યુવાનને સાપ કરડ્યા બાદ 108ની ટીમે તેનો જીવ બચાવ્યો

યુવાનને સાપ કરડ્યા બાદ 108ની ટીમે તેનો જીવ બચાવ્યો

વાંકાનેર : આજે તારીખ 13 એપ્રિલના રોજ સવારે મકનસર 108ની ટીમને માટેલ ખાતેથી એક કોલ મળ્યો હતો અને 21 વર્ષના વનરાજભાઈ નામના યુવાનને સાપ કરડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક 108ની ટીમે સ્થળ પર પહોંચીને ડો. પરેશના માર્ગદર્શનથી ઇએમટી પ્રવીણભાઈ મેર અને પાયલોટ રાકેશભાઈએ યુવકને સારવાર આપીને જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે વાંકાનેર શિફ્ટ કર્યો હતો.