Monday - Jul 06, 2026

મોરબીના ખાખરાળા ગામે ઝેરી જીવજંતુ કરડી જવાથી યુવાનનું મોત

મોરબીના ખાખરાળા ગામે ઝેરી જીવજંતુ કરડી જવાથી યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા લક્ષ્મણભાઇ મોતીભાઈ વણોલ ઉ.46 નામના યુવકને એકાદ મહિના પહેલા પોતાના ઘેર જીવજંતુ કરડી ગયા બાદ પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.