મોરબી:- મુળ ગામ બહાદુરગઢ ના વતની હાલ મોરબીમાં રહેતા ભોજાણી પરીવાર દ્વારા તેમના પુત્ર યુગના જન્મદિવસની પ્રેરણાદાયક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં રહેતા શૈલેષભાઈ શિવાભાઈ ભોજાણી ના પુત્ર યુગના જન્મદિવસ ની ઉજવણી રૂપે કિડીયારૂ પુરીને એક અનોખી રીતે અબોલ જીવોની સેવા ની ઉજવણી કરવામાં આવી હતી.
યુગ ના પપ્પા શૈલેષભાઈ અને યુગ મમ્મી હીનાબેન દ્વારા 51 નાળિયેરમાં કિડિયારૂ ભરીને અલગ અલગ 51 જગ્યાએ જંગલમાં બોરડીના ઝુંડમાં જમીનમાં ખાડો ખોદીને દાટી અને બાવળ અને બોરડી ના ઝુંડમાં મૂક્યા જેથી 51000 જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આ કિડિયારૂ નો ખરો લાભ એ કીડીઓને મળતો રહે.... એમનું કહેવું છે કે બધાએ હવે જન્મદિવસની આ જ રીતની ઉજવણી કરવી જોઈએ જેથી આપણી સંસ્કૃતિના મૂલ્યો જળવાતા રહે અને અબોલ જીવોનું જીવન પણ જળવાતું રહે.