Tuesday - Apr 21, 2026

મોરબીના પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી.

મોરબીના પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી.

મોરબી:- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર મેડિકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, 
 

મોરબીના પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી.

જેમા  આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ,વ્યસન,નાની વય થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા કરાવી હતી. 
 

મોરબીના પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં સીએચઓ ખુશ્બુબેન પટેલ દ્વારા પર્સનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબીના પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી.